શહેરના જાણીતા મોલમાં લાગી આગ : ભારે નુકસાનની આશંકા...
- 05 Apr, 2024
અમદાવાદ શહેરમાં એક તરફ ઉનાળાની કારમી ગરમીનો પ્રકોપ શરૂ થયો છે, તો બીજી તરફ આગ લાગવાના બનાવો પણ બની રહ્યા છે.જેમાં શહેરના રાજમાર્ગ ગણાતા આશ્રમ રોડ પર સન્યાસ આશ્રમની સામે અને એમ. જે. લાયબ્રેરી ની બાજુમાં આવેલા એક મોલમાં વહેલી સવારે આગ લગતા અફરાતફરી મચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આશ્રમ રોડ પર આવેલ દેવનંદન મોલમા આજે વહેલી સવારે ૫.૩૦ વાગે આગ લાગતા દોડાદોડી થઈ હતી. દરમિયાનમાં આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડ ને કરવામાં આવતા ફાયર ટીમ તાત્કાલિક પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પાર કાબુ કરી લીધો હતો. જો કે તે દરમિયાન આ મોલમાં આવેલી ઘણી ઓફિસમા નુકસાન થઈ ગયું હતું.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ